ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી મોદી સરકારને દરરોજ એક સવાલ પૂછે છે.
જેમાં આ સવાલની કડીમાં આગળ વધતા રાહુલે મોદી સરકારને 10મો સવાલ પૂછ્યો છે. જેમાં પૂછ્યું છે કે આદિવાસી પાસેથી જમીન છિનવી. ન આપ્યો જંગલ પર અધિકાર.અટકી પડયા લાખો જમીનના પટ્ટા. ન ચાલી સ્કૂલ ન મળી હોસ્પિટલ. ન બેઘરને ઘર કે ન યુવાઓને રોજગાર. પલાયન કરીને આદિવાસી સમાજને તોડયો. મોદીજી કયાં ગયા વનબંધુ યોજનાના $55 હજાર કરોડ.
ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઇ રહેલાં રાહુલ ગાંધી હાલ ટ્વિટર પર PM મોદીની વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. કેન્દ્ર પર એક પછી એક પ્રહારો કરી સણસણતા પ્રશ્નો પૂછી રહ્યા છે. આજે ફરી રાહુલે પીએમને 10 મો પ્રશ્ન પૂછયો છે.