અમદાવાદ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 3 દિવસ માટે ગુજરાતના સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા છે.
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરીને રાહુલ ગાંધી બારડિયા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રબારી સમાજે પાઘડી પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત્ કર્યું. રાહુલ ગાંધી ગ્રામજનોને મળીને ઓખામઢી ગામ જવા રવાના થયા છે. જ્યાં પણ તેમનું સ્વાગત્ કરવામાં આવશે. ત્યાર બાદ રાહુલ ગાંધી ભાટિયા ગામ જવા માટે રવાના થઈ ગયા છે.
ત્યારે મીઠાપુરમાં રાહુલ ગાંધીનું પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત્ કરવામાં આવ્યું છે. તેઓ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મંદિરમાં પ્રાર્થના કરવાની સાથે જ પોતાના પ્રવાસની શરૂઆત કરશે. રાહુલ ગાંધી દ્વારકામાં શ્રીકૃષ્ણના દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર હવાઇમથક પર ઉતર્યા બાદ એ ભગવાન કૃષ્ણના મંદિરમાં જશે. એમણે જણાવ્યું કે મંદિરમાં પૂજા કર્યા બાદ પાર્ટીના ચૂંટણી પ્રચાર હેઠળ તેઓ સૌરાષ્ટ્રની મુલાકાત કરશે.
આ છે રાહુલ ગાંધીનો કાર્યક્રમ
- રાહુલ ગાંધી 3 દિવસના રોડ શો ની મુલકાત દ્વારકાથી કરશે. એ વિવિધ સ્થાનો પર લોકોને સંબોધિત કરશે અને રસ્તામાં એમની સાથે વાતચીત કરશે.
- જામનગર શહેરમાં જશે જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
- 26 સપ્ટેમ્બરે તેઓ ઘરોલ અને ટંકારા શહેર થઇને રાજકોટ પહોંચશે.
- બપોરે રાજકોટ પહોંચવા પર એ વ્યવસાયિઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે.
- રાજકોટમાં રાત્રી રોકાણ કરશે.
- 27 સપ્ટેમ્બરની સવારે એ ચોટીલા જસદાન વીરપુર જેતપુર અને અન્ય શહેરોની મુલાકાત લેશે અને પછી ખોડલધામમાં પોતાનો પ્રચાર અભિયાન સમાપ્ત કરશે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર મુલાકાત બાદ એ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે જેના માટે તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાતના આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.