મહેસાણાઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતના અંતિમ દિવસે બહુચરાજી પહોચ્યાં હતાં. જયાં તેમણે બહુચરાજી મંદિરના દર્શન કર્યાં હતાં અને પૂજારીના હાથે પ્રસાદ લીધો હતો. ત્યારબાદ પૂજારી દ્વારા તેમને માતાજીની તસ્વીર તેમજ સાલ ભેટ આપી હતી. મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતાં.
રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના ત્રીજા દિવસે વરાણા ગામના ખોડિયાર મંદિરના દર્શન કર્યા હતા. જયાં રાહુલ ગાંધીનું પાઘડી પહેરાવી પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતાઓ પણ સાથે જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓએ મા ખોડિયારના દર્શન કરી ગુજરાતની જનતાનું ભલું કરવાની પ્રાર્થના કરી હતી. આ સાથે જ ભરતસિંહે ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવે રાહુલ ગાંધીના મંદિર પ્રવાસને લઇને કરેલા નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ પાટણના બોરટવાડાની મુલાકાત લીધી હતી. જયાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાહુલે લોકોનું અભિવાદન ઝિલ્યું હતું..અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. યુવાનો સાથે સેલ્ફી લીધી હતી.