અમદાવાદ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ગુજરાત પર છે. દ્વારકા પહોંચેલા રાહુલે અહીંયા જીએસટી નોટબંધીને બેરોજગારીના મુદ્દા પર ભાજપ સરકાર પર પ્રહાર કર્યો હતો. આ દરમિયાન એમણે કહ્યું કે કોંગ્રેસ જે વાયદો આપે છે એ જરૂરથી નિભાવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ બે કરોડ યુવાનોને રોજગાર આપવાનો વાયદો કર્યો હતો તો જણાવો કેટલા લોકોને નોકરી મળી આજે દેશમાં રોજગાર નહીં દેશના યુવાઓ નોકરીની શોધમાં ભટકી રહ્યા છે. આ સાથે જ એમણે જણાવ્યું કે 'જીએસટીથી નાના દુકાનદારોની સમસ્યા વધી છે માત્ર 4-5 મોટી કંપનીને ફાયદો થયો છે.' એમણે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીજી કોઇને પૂછ્યા વગર હિંદુસ્તાનની ઇકોનોમી પર જોરદાર આક્રમણ કર્યું અને એટલામાં જ નથી અટક્યા જે નાના દુકાનદાર-વેપારી છે એમને ઇજા પહોંચી અને પછી જીએસટી આવ્યું. એમણે કહ્યું તે હિંદુસ્તાનમાં જે કમજોર ગરીબ છે... એમના માટે પીએમ દીલમાં જગ્યા નથી પરંતુ અમીરો માટે બધા દરવાજા ખોલી દે છે.
આ પહેલા રાહુલે સોમવારે દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી પૂજા કર્યા બાદ રાહુલ રોડ શો પણ કર્યો. રાહુલની ગુજરાત મુલાકાત 3 દિવસની છે. રાહુલના ગુજરાત આવવા પર પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને એમનું સ્વાગત કર્યું.