અમદાવાદ: ગુજરાતમાં આજે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીએ પહેલીવાર અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શાબ્દીક હુમલો કર્યો હતો.
મોદી પહેલા ભ્રષ્ટાચારની વાતો કરતા હતા હવે રફાલ ડીલ સામે આવતા ભ્રષ્ટાચારની વાત કરતા નથી. કોંગ્રેસ સરકાર પાટીદારોને અનામત આપશે. પ્રધાનમંત્રી મોદી જે પ્રકારે પૂર્વ પીએમ મનમોહનસિંહ પર આરોપો લગાવી રહ્યા છે તે યોગ્ય નથી.