ગીર-સોમનાથઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલે પોતાના પ્રવાસની શરૂઆત સોમનાથ મંદિરની કરી છે. સોમનાથ મંદિરે પહોચેલા રાહુલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે સભા સંબોધતા કહ્યું હતું કે મોદી સરકારે ગુજરાતમાં ગરીબો માટે કોઇ સારૂ કામ નથી કર્યું. તેમણે ગરીબોમાં આપવામાં આવતી સહાય ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓને પહોચાડી છે. માત્ર પાંચ ઉદ્યોગપતિઓનું જ ભલું કર્યું છે.
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના કાર્યક્રમ અંગે જો વાત કરવામાં આવે તો. રાહુલ ગાંધી સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. બપોરે 1 વાગ્યે રાહુલ ગાંધી સોમનાથ ખાતે પહોંચશે. જ્યાં સોમનાથ મહાદેવના આશિર્વાદ મેળની ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ત્યાર બાદ બપોરે 1.30 વાગ્યે સોમનાથમાં રાહુલ ગાંધીનું કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જે બાદ રાહુલ અહીં જનસભાને સંબોધીત કરશે. સોમનાથથી રાહુલ ગાંધી સીધા 3 વાગ્યે વિસાવદર ખાતે પહોંચશે. જ્યાં તેઓ કોર્નર મિટિંગ યોજશે. જે બાદ 4.30 વાગ્યે સાવરકુંડલા ખાતે પણ કોર્નર મટિંગ યોજશે. સાવરકુંડલાથી રાહુલ ગાંધી અમરેલી જશે. અમરેલી ખાતે સાંજે 7 વાગ્યે રાહુલ ગાંધી જનસભાને સંબોધીત કરશે. રાહુલ ગાંધી અમરેલી ખાતે જ રાત્રી રોકાણ પણ કરશે. જે બાદ 30 મી નવેમ્બરના પણ રાહુલ ગાંધી અનેક જનસભાને સંબોધીત કરશે.