રાહુલ ગાંધી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. આ સમયે તેમણે બનાસકાંઠા પહોચ્યા છે. જ્યાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. રાહુલે આ સમયે પીએમ મોદીઅમિત શાહ અને ભાજપના નેતાઓ પર આકરો પ્રહાર કર્યા હતાં.
પાલનપુરમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. જયાં ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 22 વર્ષમાં ફક્ત ઉદ્યોગપતિઓના જ કામ થયા. પૂર પીડિતોને હજુ સુધી 500 કરોડ મળ્યા નથીજે ભાજપના કાર્યકરોને મળ્યા છે..અને નોટબંધી GSTથી લાખો લોકો બેરોજગાર થયા છે.
તમામ બેંક ખાતામાં 15 લાખ આવ્યા છેમહિલાઓએ પૈસા બચાવ્યા હતા તે છીનવી લીધા હતા.દાંતામાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત કરવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જયાં રાહુલે જણાવ્યું હતું કેહું સત્યની સાથે છુંશિવજીની પ્રતિમાની સામે રાખું છું. રાહુલ ગાંધીના આગમનને લઇને દાંતાના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દાંતામાં રાહુલ ગાંધીએ સ્થાનીક લોકો સાથે મુલાકાત કરી હતી તેમજ બાળકોને ચોકલેટ આપી બાળકો સાથે ફોટા પડાવ્યા હતાં.