આવતીકાલે એટલે કે સોમવારે અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝની જાહેરાત થવાની છે ત્યારે તેના સંભવિત વિજેતાઓના નામની યાદીમાં ભારતની રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નામ હોવાનું ધ્યાને આવ્યુ હતું. ક્લૈરિવેટ એનાલિટિક્સ એકેડેમિકે આ પોતાના એક સંશોધન દ્વારા નોબેલ વિજેતાની સંભાવિતની યાદી તૈયાર કરી હતી જેમાં ભારતના રઘુરામ રાજનનું પણ નામ હોવાનું જાણવા મળ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે વૉવ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટસ મુજબ રઘુરાજ રાજન એ છ સંભાવિત અર્થશાસ્ત્રીઓમાંથી એક છે જેની યાદી ક્લૈરિવેટ એનાલિટિક્સે તૈયાર કરી છે. રાજનને કોર્પોરેટ ફાઇનાન્સના ક્ષેત્રમાં તેમણે કરેલા અભિનંદનીય પ્રદાન બદલ તેમને શામેલ કરવામાં આવ્યાં છે.
એ વાત જણાવી દઇએ કે રઘુરામ રાજન આરબીઆઈ ગવર્નરના રુપમાં બીજી ટર્મ મળવાની આશા હતી જોકે તેમ થયું નહીં. પોતાની ટર્મ પૂર્ણ થયાં બાદ રઘુરામ રાજન શિકાગો યુનિવર્સિટીમાં બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફેકલ્ટી તરીકે તેઓ પાછાં ચાલી ગયાં હતાં. આરબીઆઈ ગવર્નર પદ છોડ્યાં પછી રાજને સ્પષ્ટતાઓ કરી હતી કે કેટલાક મુદ્દે તેમની અને કેન્દ્ર સરકારની માન્યતાઓમાં ફરક હતો. જેમાં નોટબંધીનો નિર્ણય પણ શામેલ હતો. રાજને નોટબંધીના નિર્ણયની કડક આલોચના કરી હતી.
રઘુરામ રાજન ઈન્ટરનેશનલ ઈકોનોમીની દુનિયામાં બહું મોટું નામ ધરાવે છે. સૌથી ઓછી ઉંમરે (40 વર્ષ) અને પહેલા નોનવેસ્ટર્ન IMF ચીફ બનનારા રાજને 2005માં એક પેપર પ્રેઝન્ટેશન બાદ ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી હતી. રાજને અમેરિકામાં અર્થશાસ્ત્રીઓ અને બેંકરોની પ્રતિષ્ઠિત વાર્ષિક સભામાં આ પેપરને પ્રેઝન્ટ કર્યું હતું. ત્યારે રાજને આર્થિક મંદીનું અનુમાન વ્યક્ત કર્યુ હતું ત્યારે તેમની મજાક ઉડાવાઈ હતી.