પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના તમામ ગ્રાહકોને કહ્યુ છે કે ''25 જાન્યુઆરી પહેલા તમામ જરૂરી કામ પતાવી લો''. બેંકે કહ્યુ કે ''25મી પછી જરૂરી કામ પૂરા કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.'' PNBએ એક એડવાઇઝરી જારી કરી છે તેમાં કહેવામાં આવ્યુ છે કે ''29 જાન્યુઆરીના તેઓ પોતાની કોર બેંકિંગ સિસ્ટમને અપગ્રેડ કરશે. આ કારણથી 29-30 તારીખના બેંકિંગના કામ કરવામાં મુશ્કેલીઓ આવી શકી છે.''
PNBની આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે કે ટેક્નિકલ બદલાવને કારણે દરરોજ થનારા બેંકિંગના કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ માટે ગ્રાહકોને આ તારીખ પહેલા કામ પૂરુ કરવા માટે સલાહ આપવામાં આવી છે. આ સાથે જ પંજાબ નેશનલ બેંકે કહ્યુ કે બેંકની તરફથી કોઇ મુશ્કેલી ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે બેંકે જોકે આ દરમિયાન કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી કામ પૂરા કરી લેવાની સલાહ આપી છે.
વાસ્તવમાં 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ હોવાને કારણે બેંકમાં જાહેર રજા હશે જે પછી ચોથો શનિવાર અને રવિવાર હોવાને કારણે બેંકમાં રજા હશે. આ કારણોસર તમે 25 જાન્યુઆરી સુધીના તમામ મહત્વના કામ પૂરા કરી લો નહીં તો બેંકના કામ માટે તમારે 31 તારીખ સુધી રાહ જોવાની રહેશે.