અમદાવાદ: છેલ્લા 2 દિવસથી મહારાષ્ટ્રમાં દલિતો દ્વારા બંધ પાળવામાં આવ્યુ. ત્યારે હવે આ હિંસાના પડ્ઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે.
જૂનાગઢના વંથલીમાં દલિતો દ્વારા બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યુ છે. આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ST સેવાઓ પણ બંધ રાખવામાં આવી છે.
- આ ઉપરાંત વલસાડ એસટી વિભાગ દ્વારા નાસિક પુના શિરડી જતી એસટી બસને રદ કરવામાં આવી છે. જયાં સુધી પૂણેમાં સ્થિતિ કાબુ ના આવે ત્યાં સુધી આ બસો બંધ રહેશે. પરિસ્થિતિ કાબુમાં આવ્યા બાદ એસટી બસો શરૂ કરવામાં આવશે. બસો રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. નોંધનીય છે કે વલસાડ વાપીથી અનેક ટ્રીપો પૂણે અને મુંબઇ તરફ જતી હોય છે. રોજના અનેક મુસાફરો મુસાફરી કરતા હોય છે.. જોકે હડતાલને પગલે મહારાષ્ટ્ર તરફની તમામ બસ સેવાને અટકાવામાં આવી છે.
- મોડી રાત્રે રાજકોટના ધોરાજીમાં બસને સળગાવાની ઘટના પ્રકાશમાં આવી હતી. લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. એક બે ઠેકાણે તો સરકારી પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવાની ઘટના પણ સામે આવી છે.
- સોમનાથના ધોરાજીમાં પણ સલામતીના ભાગરૂપે વેરાવળ એસટી ડેપોના તમામ રૂટ બંધ કરાયા છે.
- જૂનાગઢમાં રેલી હોવાના કારણે SP દ્વારા તાકીદ કરાઇ હતી. SPની સૂચના બાદ ફરી તમામ બસો ચાલુ થશે.
- જ્યારે સુરતના અમરોલી સુરતને જોડતા બ્રિજ પર ટ્રાફિક જામ થયો છે. લગભગ 2 કિલોમીટરનો ટ્રાફિક થતાં નોકરીએ જતા હજારો લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.