સાબરકાંઠા હિમતનગર તાલુકા પંચાયતમાં 22 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઇ છે. TDO સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત થઇ છે. હિમતનગર તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તગત છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિમ્મતનગરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગે તેવા એંધાણ સર્જાયા છે. સાબરકાંઠામાં હિમ્મતનગર તાલુકા પંચાયતના 22 સભ્યોએ નારાજગી દર્શાવી છે. આ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા કોંગ્રેસની સત્તા જોખમમાં મુકાઈ ગઈ છે.
ચૂંટણીની તારીખો નજીક હોવાના સમયે હિમ્મતનગર તાલુકા પંચાયતના સભ્યોની નારાજગી કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં નુકશાન પહોંચાડી શકે છે. હવે જોવાનું રહેશે કે કેવી રીતે કોંગ્રેસ નારાજ સભ્યોને મનાવે છે જો સભ્યોને વિશ્વાસમાં નહી લઈ શકે તો હિમ્મતનગર તાલુકા પંચાયતની સત્ત ગુમામવાનો વારો આવી શકે તેમ છે.