અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી આવતીકાલે નર્મદા ખાતે સરદાર સરોવરનું લોકાર્પણ કરશે. સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. તદ્દ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીનો આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. પોતાના જન્મદિવસે મોદી માતા હિરાબાના આશીર્વાદ લેવા પણ જઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી રાત્રે અમદાવાદનાં આંતર રાષ્ટ્રીય હવાઇ મથકે ખાસ વિમાન દ્વારા આવી પહોંચ્યા. 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી તેમના જન્મદિનની ઉજવણી ગુજરાતમાં કરશે. રવિવારે સવારે માતા હીરાબાના આશિર્વાદ લેવા ખાસ જવાના છે. ત્યારબાદ નર્મદા ડેમનું લોકાર્પણ કરવા જવાના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદા ડેમની મુલાકાત લેવાના છે. ત્યારે મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટિના લોકેશનનું પણ નિર્દેશન કરશે. અને તેના કામની સમિક્ષા કરશે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અંદાજે 50 મીટર સુધીનું કામ પૂર્ણ થયું છે.