અમદાવાદઃ અમદાવાદના મહેમાન બનેલા જાપાનના પ્રધાન મંત્રી અબે શિંજો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો બાદ ઐતિહાસિક સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતથી સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો. જાપાનના પ્રધાનમંત્રીની સીદી સૈયદની જાળીની મુલાકાત બાદ આ સ્મારક વિશે દુનિયામાં વધુમાં વધુ લોકો રસ દાખવશે તેવો સ્થાનિકોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.