વડોદરાઃપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22 ઓક્ટોબરે વડોદરાની મુલાકાત લેવા છે. અહીં નવલખી મેદાન પર જાહેર સભાને સંબોધશે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિકાસ કામો અને આયોજિત વિકાસ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
નવલખી મેદાન ખાતે પીએમ મોદી લોકોને સંબોધશે. જેના માટે તંત્ર દ્વારા પુર જોશથી તૈયારી ચાલી રહી છે. ત્યારે કોર્પોરેશનના કમિશનર ડૉ. વિનોદ રાવે સભા સ્થળે જઈને તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે દિવાળીનો તહેવાર હોવાથી પડકાર છે. પરંતુ 21 તારીખ સુધી તમામ તૈયારી પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું. અને આ મેદાન પર આશરે 50 હજારથી વધુ લોકો કાર્યક્રમને નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો.
વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જેમાં સીટી કમાન્ડર કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કમાટીબાગ ખાતે પ્લેનેટોરિયમનું લોકાર્પણ ટુરિઝમ સેન્ટરનું લોકાર્પણ જન મહેલ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું શુભારંભ કરવાનું છે. સૌથી લાંબા ફ્લાયઓવર ગેંડા સર્કલથી મનીષા ચોકડીનું ખાત મુહૂર્ત સિંધરોટ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત નિઝામપુરા ખાતે રિજનલ ટ્રાન્સપોર્ટ હબનું ખાતમુહૂર્ત સહિત કુલ 1200 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.