અમદાવાદઃ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં કોઇ કસર નથી રાખી રહ્યા. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પરિવહન સેવાને લઇ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે ST સેવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 22 વર્ષમાં ગુજરાતમાં પરિવહન સેવામાં ભ્રષ્ટાચારની બોલબાલા છે. બસોની સંખ્યા અને રૂટોની સંખ્યા અડધી થઈ ગઈ છે. ST તંત્ર દરરોજ રૂ. 1.11 કરોડની ખોટ કરી રહ્યું છે. સરકાર સંચાલિત પરિવહન સેવામાં 100% કાપ મુકાયો છે.
બસો અને ટ્રીપ 4થી 5 ગણી વધવી જોઈતી હતી. 9 હજાર ગામોને જ બસની નામ માત્રની સુવિધા મળે છે. બસ સેવામાં ૩ હજાર કરોડનું નુકશાન દર્શાવવામાં આવ્યું છે. બસોની સંખ્યા અડધી થઇ હોવા છતાં નુકશાન વધ્યું છે. પ્રતિ મિનિટ ૭ હજારનું નુકશાન બસ સેવામાં થઇ રહ્યું છે.