રાજકોટઃ વિધાનસભાની ચૂંટણી લોહીયાળ બની છે. ગઈ કાલે રાત્રે કોંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિપુ રાજ્યગુરુ પર રેલી દરમિયાન કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. જેને લઇ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રેસકોન્ફરન્સ યોજી છે.
રાજકોટ પશ્વિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂના ભાઇ પર થયેલા હુમલાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઇન્દ્રનીલ રાજયગુરૂના ભાઇ દીપુ રાજયગુરૂએ રાજુ ડાંગર વિરૂદ્વ ફરિયાદ નોંધાઇ છે. શૈલેષ ભરવાડ સહિત 6 શખ્સો સામે ફરિયાદ દાખલ થઇ છે.
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ગઇકાલે રાજકોટમાં થયેલ બબાલ બાદ પ્રેસ કોન્ફરન્સ
ગઇકાલે બેનર ઉતારવા બાબતે બબાલ થઇ હતીઃ ઇન્દ્રનીલ
મારા નાના ભાઇ પર હુમલો કરવામાં આવ્યોઃ ઇન્દ્રનીલ
રાજુ ડાંગર અને તેની ટીમ દ્વારા હુમલો કરાયો હતોઃ ઇન્દ્રનીલ
થોડા દિવસ અગાઉ સભામાં પણ રાજુ ડાંગરે ધમકી આપી હતીઃ ઇન્દ્રનીલ
અમે ગુંડાગીરી સામે ગુંડાગીરી કરવામાં માનતા નથીઃ ઇન્દ્રનીલ
ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી સામે ઘણા સમયથી લડત આપું છુ: ઈન્દ્રનીલ
અમે મુખ્યમંત્રીના ઘરની બહાર ધરણા કરવાના હતાઃ ઇન્દ્રનીલ
નીતિન ભારદ્વાજ અને કમલેશ મીરાણીના ઈશારે પોલીસે લાઠીચાર્જ કર્યો: ઈન્દ્રનીલ
ભાજપ સતત તંત્રનો દુરઉપયોગ કરી રહ્યુ છે: ઈન્દ્રનીલ
બાબુભાઈ મકવાણાએ અમારા કાર્યકર્તાઓને ફોન પર ધમકાવ્યા: ઈન્દ્રનીલ
અગાઉ રાજુ ડાંગરે અમારા કાર્યકર્તાઓને ધમકીઓ આપી હતી: ઈન્દ્રનીલ
ભાજપ ધમકીઓ દ્વારા ચૂંટણી જીતવા માંગે છે: ઈન્દ્રનીલ
અમે CM ના નિવાસસ્થાને ધરણા કરવાના ઈરાદે ગયા હતા: ઈન્દ્રનીલ
નશો કરવાના આરોપ સામે ઈન્દ્રનીલ રાજ્યગુરૂની પ્રતિક્રીયા
જો મે નશો કર્યો હોત તો પોલીસે મારો બ્લડ ટેસ્ટ કરવાની જરૂર હતી: ઈન્દ્રનીલ
ભાજપે ચૂંટણી પંચનો દુરઉપયોગ કરીને મારી ઉમેદવારી રદ કરવાનો પણ પ્રયાસ કર્યો: ઈન્દ્રનીલ
કોંગ્રેસ જ્યારે સત્તામાં હતુ ત્યારે ક્યારેય સત્તાનો દુર ઉપયોગ નથી કર્યો: ઈન્દ્રનીલ
જો મારો અવાજ દબાશે તો શહેરનો અવાજ દબાશે: ઈન્દ્રનીલ
ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડવા પોલીસે ઈન્દ્રનિલ સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ રાત્રે 4.30 કલાકે પોલીસે તમામને મુક્ત કર્યા હતા. સમગ્ર ઘટના મામલે ઈન્દ્રનિલ રાજ્યગુરુએ ભાજપને જવાબદાર ગણાવી હતી.
ઈન્દ્રનિલ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે PM મોદીની સભા યોજાવાના કારણે મને છોડવામાં આવ્યો છે. જો મને છોડવામાં ન આવ્યો હોત તો કોંગ્રેસના કાર્યકરો ભારે વિરોધ પ્રદર્શિત કરત અને માટે વિરોધ ન થાય તે કારણે મને મુક્ત કરવામાં આવ્યો.