દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે 4 સપ્ટેમ્બર ના રોજ જસદણ ના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે જશે અને ત્યાર બાદ વિશાળ જનમેદની ને સંબોધિત કરશે .
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ જિલ્લાના જસદણ પાસે આવેલા 600 વર્ષ જુના ઘેલા સોમનાથ મંદિરના દર્શન માટે પધારી રહ્યા છે. તેમના આગમનને ધ્યાને લઇ તંત્ર દ્વારા ડોગ સ્કોડ બીડીએસ સહિત પોલીસનો ચાંપતો પોલીસ બંદોબસ્ત મંદિર સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ઘેલા સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધિત કરવાના છે તે માટે વરસાદી વાતાવરણને ધ્યાને લઇ જર્મની બેઇઝ વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 80x45 ફૂટ નું સ્ટેજ પણ તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે સભા સ્થળ પર તમામ સરકારી અધિકારી ખડે પગે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.