ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે બપોરે 12.30 કલાકે અમદાવાદ સરદાર પટેલ હવાઇ મથક ખાતે રાષ્ટ્રપતિ એરફોર્સના ખાસ વિમાન દ્વારા આવી પહોંચ્યા હતા એરપોર્ટ પર જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.ઉલ્લેખનીય છે ગુજરાત યુનિવર્સિટીના પદવિદાન સમારંભમાં તેઓ ખાસ મહેમાન બની હાજરી આપવાના છે.
બીજા દિવસે 22 તારીખે રાષ્ટ્રપતિ વડોદરા MS યુનિવર્સિટીના પદવી દાન સમારંભમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે ગોંડલ ખાતે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. સાંજે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે.ભારતના રાષ્ટ્રપતિ ગુજરાતમાં 2 દિવસ રોકાણ કરવાના હોવાથી ગુજરાત સરકાર દ્વારા તેમના ભવ્ય સ્વાગત માંટે ખાસ આયોજન પણ કરવામાં આવેલ