અમદાવાદઃ 11 કલાકથી લાપતા ડો. પ્રવીણ તોગડિયા કોતરપુર ખાતેથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બેભાન હાલતમાં જ પ્રવીણ તોગડિયાને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહીબાગ ચંદ્રમણિ હોસ્પિટલમાં પ્રવીણ તોગડિયાને દાખલ કરાયાના સમાચાર મળતાં જ વિહિપના કાર્યકરો હોસ્પિટલ ધસી ગયા હતા. ત્યારે પ્રવીણ તોગડિયાના પુત્ર આકાશ તોગડિયા સહિત તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો.
મહત્વનું છે કે તોગડીયા 108 દ્વારા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. સુગર લો થઇ ગયું હતું. તેમને સુગર આપી લેવલ કરાયું છે. તોગડિયા હાલ ભાનમાં છે.
મહત્વનું છે કે હોસ્પિટલની અંદરની માહિતી વીટીવીને મળી હતી. પ્રવીણ તોગડિયાની હાલત હાલમાં તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે. પ્રવીણ તોગડિયાએ ફળાહાર કર્યો હતો.