ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે રાજપૂત સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠેર-ઠેરથી તેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો સંમેલનમાં જોડાયા હતાં. રાજપૂત સમાજની મહિલાઓ પણ સંમેલનમાં જોડાઇ હતી.
રાજપૂત સમાજની સરકારને ચિમકી ઉચ્ચારી હતી. રાજપૂત સમાજના અગ્રણી રમજુભાએ જણાવ્યું હતું કે પદ્માવતી ફિલ્મ ભારતમાં પ્રસારિત ન કરવામાં આવે. પદ્માવતી ફિલ્મ પાકિસ્તાનમાં જઇને પ્રસારિત કરો તેમ જણાવ્યું હતું.
ઉલ્લેનીય છે કે રાજપુત સમાજ દ્વારા વધુ મોટી એક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતના રાજપૂતો ભેગા થશે તો ભૂકંપ આવશે. VHPના પ્રવીણ તોગડિયાએ રાજપૂત સમાજને સમર્થન જાહેર કર્યું છે.