રાજકોટમાં VHPના અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડીયાના હસ્તે 32મી ધર્મયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જયાં પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનમાં રહેલા કંસરૂપી શત્રુનો ખાત્મો બોલાવવાની જરૂર છે.
ત્રણ વર્ષના મોદીના શાસન અંગે બોલવાનું ટાળ્યું હતું. લાખો ખેડૂતોના મોત અંગે ચિંતા વ્યકત કરી હતી. જન્માષ્ટમી અને 15મી ઓગસ્ટની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી..