અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાની ધરપકડની ઉડેલી અફવાથી કાર્યકરોમાં રોષ વ્યાપ્યો હતો. પ્રવીણ તોગડિયાની ધરપકડની અફવા ફેલાતાં રાજ્યામા હિંદુ સંગઠનોએ ઠેર ઠેર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
સુરેન્દ્રનગરમાં કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ સર્જ્યો હતો. સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો સુરતમાં પણ પ્રવીણ તોગડિયાની ધરપકડની અફવા વાયુ વેગે ફેલાઈ જતાં હિંદુ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુજરાત અને રાજસ્થાન સરકાર વિરોધી સૂત્રાચ્ચાર કર્યા હતા. ભગવા ઝંડા લહેરાવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
તો આ તરફ છેક કચ્છમાં પણ ધરપકડની અફવાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કચ્છના હિંદુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વિરોધી નારેબાજી કરી હતી. કચ્છના કાર્યકરોએ દેખાવો યોજીને ધરપકડ પણ વહોરી હતી. આમ ગુજરાતના અનેક જીલ્લાઓમાં સમર્થકો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે.