પ્રવિણ રામે કોંગ્રેસના નેતાઓ સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ ભાજપમાં ચિંતા વધી ગઇ હતી. જેથી ભાજપે પ્રવિણ રામને તેડું આપ્યું છે. BJP એ હવે પ્રવિણ રામને બેઠક કરવા માટે બોલાવ્યા છે.
સુરતમાં પ્રવિણ રામ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. ગુરૂવારે પ્રવિણ રામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતશસિંહ અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. અને પોતાની વિવિધ માગ તેમની સમક્ષ રજૂ કરી હતી.
મહત્વનુ છે કે છેલ્લા ઘણા સમયથી પ્રવિણ રામ કર્મચારીઓ ખેડૂતો અને દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે લડત ચલાવી રહ્યા છે. ઓબીસી એસસી એસટીના શોષિતોનુ પ્રવિણ રામને સમર્થન છે.