નવી દિલ્હી : પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ગત્ત શુક્રવારે રિલીઝ થયેલ પુસ્તક ધ કોએલિશન ઇયર્સ 1996થી2012માં રિયાસતનાં કેટલાક નવા પાસાઓ સામે આવ્યા છે. મુખર્જીનાં અનુસાર 2012માં રાષ્ટ્રપતિ ઇલેક્શનનાં સમયે તેમણે શિવસેનાં સુપ્રીમો બાલઠાકરે સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાતનાં કારણે સોનિયા ગાંધી અને તેમનાં પોલિટિકલ એડ્વાઇઝર અહેમદ પટેલ ઘણા ખફા હતા.
પુર્વ રાષ્ટ્રપતિનાં અનુસાર મે તે જ કર્યું જે મને યોગ્ય લાગ્યું. નોંધનીય છે કે 2012માં મુખર્જી યુપીએનાં પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ હતા. જ્યારે બાલ ઠાકરેની શિવસેના એનડીએનો હિસ્સો હતા. તેમ છતા ઠાકરેએ પ્રણવનો સપોર્ટ કર્યો હતો. મુખર્જીનાં અનુસાર શરદ પવારની પાર્ટી એનસીપી તે સમયે યુપીએ 2નો હિસ્સો હતા. પ્રેસિડેન્ટ ઇલેક્શ કેમ્પેઇન દરમિયાન મારે મુંબઇ જવાનું હતું. આ ઘટના 13 જુલાઇ 2012ની છે.
સોનિયા ગાંધી મારી અને બાલ ઠાકરેની મુલાકાતનાં પ્રપોઝલ ફગાવી દીધું. જો કે મે તેમને તેમ છતા પણ ઘરે જઇને મુલાકાત કરી હતી. મુખર્જીએ આગળ લખ્યું કે મે ઠાકરે સાથે મુલાકાતનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તેમણે પોતાનાં ટ્રેડિશનલ કોએલિશન પાર્ટનરની સાથે થોડીને મને સપોર્ટ કર્યો હતો. જો હું એવું નથી કરતો તો કદાચ તેમને દુથ થાત.