બનાસકાંઠાઃ વાવ બેઠક પર શંકર ચૌધરી ભલે હાર્યા પણ પાવર ન ગયો. હારનો બદલો લેવા ચૌધરીએ ખુલ્લેઆમ કિન્નાખોરી બતાવી છે. ચૌધરીએ હારનો બદલો લેવા સ્થાનિકોને બતાવ્યો પાવર હતો. બનાસકાંઠાના વાવમાં ભાજપની નાવ ડૂબી છે. જયાં હારી ગયેલા શંકર ચૌધરીએ પાવર બતાવ્યો છે. હારનો બદલો લેવા કર્મચારીઓની બદલી કરી છે. એટલુ જ નહી ફરિયાદ વિના 5 દૂધ મંડળીઓ બંધ કરાઇ છે. ચૌધરીની કિન્નાખોરીથી આગેવાનોમાં ચિંતા વધતાં સ્થાનિક લોકો સાથે મંથન કર્યુ હતું.
જિલ્લામાં વિધાનસભા ની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ હજુ તેના પરિણામ બાદ વિવાદ યથાવત્ છે. વાવ બેઠક પર ભાજપના મંત્રી અને દિગગજ નેતા શંકર ચૌધરીની હારના કારણે લોકોની પરેશાની વધી છે તેવો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. શંકર ચૌધરીના હારના કારણે ડેરીથી લઈ વાવ બેઠકના કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેને લઈ આજે વાવ વિસ્તારના આગેવાનોની બેઠક મળી હતી.
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર ભાજપના દિગગજ નેતા શંકર ચૌધરી ની હાર થઈ છે. હાર બાદ જે લોકો ચૂંટણી સમયે તેમની સામે હતા તે લોકોને હેરાન કરતાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. શંકર ચૌધરી ભાજપના મોટા નેતા હોવાથી સરકારી કર્મચારીઓની બદલી કરાવી રહ્યા છે.
જ્યારે તેઓ બનાસ ડેરીના ચેરમેન હોવાથી વાવ વિસ્તારમાં 5 જેટલી દૂધ મંડળીઓ કોઈપણ ફરિયાદ વિના બંધ કરાવી છે. વાવ વિસ્તારમાં અનેક એવા લોકો છે કે ચૂંટણી દરમ્યાન શંકર ચૌધરી ની સામે હતા. જેના કારણે તેમની હાર બાદ તે લોકોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેને લઈ આજે વાવ વિધાનસભાના સ્થાનિક આગેવાનો અને લોકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં આ બાબતે શું કરવું અને ખોટી રીતે કનડગતથી કઈ રીતે છુટકારો મેળવવો તેને લઈ ચર્ચા થઈ હતી.
વાવ વિસ્તારમાં સ્થાનિક આગેવાનો પણ હવે શંકર ચૌધરીના વિરોધમાં સામે આવ્યા છે. વાવની પ્રજા તો ભાજપ અને મોદી અમિત શાહની સાથે જ છે પરંતુ શંકર ચૌધરીનું અભિમાન દ્વારા ભાજપની નાવ ડુબાડી છે. શંકર ચૌધરીની કિન્નાખોરીના કારણે વાવમાં ભાજપ હર્યું છે. શંકર ચૌધરી અને તેના માળતીયા લોકોની કિન્નાખોરીને લઈ ભાજપ વાવમાં હર્યું છે. જો આ બાબતે ભાજપના ઉચ્ચ નેતાઓ આ બાબતે તપાસ નહીં કરાવે તો આગામી સમયમાં ભાજપને વાવમાં મોટું નુકશાન વેઠવું પડશે.
વાવ બેઠક પર ચૂંટણી બાદ પણ રાજકીય ગરમાવો યથાવત્ છે. શંકર ચૌધરીની હાર બાદ તેમના વિરોધીઓ વધુ સક્રીય બન્યા છે. સ્થાનિક ભાજપ આગેવાનો પણ તેમનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે બદલીઓ અને ડેરીની મંડળીઓ બંધ કરાવી શંકર ચૌધરી અને ભાજપનું નામ વધુ બદનામ થઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે આખરે આ બાબતને ભાજપના આગેવાનો કેટલી ગંભીરતાથી લે છે.