સુરત: રાજ્યમાં આજથી પહેલા તબક્કાની ચૂંટણીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં 14 પાટીદાર યુવાઓના ફોટા વાળું પોસ્ટર જોવા મળ્યું છે જેમાં ભાજપને વોટ ના આપવાની અપીલ કરવામાં આવી છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે પાટીદારો શહીદોને ભૂલી ના જતાં. જો કે આ પોસ્ટર કોણે લગાવડાયા છે એ હજુ સ્પષ્ટ થયું નથી.
અનામતને લઇને શું પાટીદાર સમાજ એટલો નારાજ છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ જ નહીં ાપે? શું કોંગ્રેસને પાટીદાર નેતા હાર્દિકનું સમર્થન ભાજપને નુકસાન પહોંચાડશે? આ પ્રશ્ન એટલા માટે કારણ કે પાટીદાર સમાજ અનામત આંદોલન દરમિયાન એ પોલીસ ફાયરિંગને નહીં ભૂલી શકે જેમાં 14 પાટીદાર યુવાઓએ જીવ ગુમાવ્યા હતા.
સુરતમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં માર્યા ગયેલા 14 પાટીદાર યુવાઓની કુરબાની બેકાર ના જવા દેવાની અપીલ કરતાં લોકોએ ભાજપ વિરુદ્ધ વોટ આપવાની સલાહ આપવામાં આવી છે. પોસ્ટરમાં લખ્યું છે 'ભાજપના અત્યાચારોને ભૂલશો નહીં BJP ને વોટ આપશો નહીં.'
પાટીદાર સમાજ ભાજપની પરંપરાગત વોટ બેંક રહ્યું છે પરંચુ પટેલ આરક્ષણની માંગને લઇને હાલમાં નારાજ માનવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી રાખી છે.