વરસાદની સીઝન અડધે પહોંચી છેસૌરાષ્ટ્ર સહીત ઠેર ઠેર ઉત્સવો અને મેળાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે એક દિવસની રજામાં ક્યાંક કોઈ કુદરતના ખોળે બેસી પ્રકૃતિનો ભરપૂર આનંદ લેવાની ઈચ્છા થાય તો ગુજરાતનું એક ઓછું પ્રચલિત સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ગુજરાતમાં મેઘ મન મૂકીને વરસ્યો છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે ગુજરાતના પોળોના જંગલની એક મુલાકાત મુસાફરને આજીવન યાદ રહી જાય તેવી છે.
અમદાવાદ થી આશરે 150 કિલોમીટરના અંતરે આવે પોળોના જંગલો ખુબ જોવા લાયક છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગરથી નજીક આવેલ છે. પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છેઇડર ના પરિહાર રાજાઓ દ્વારા 10 મી સદીમાં સ્થાપના કરવામાં આવી હોવાનું માનવામાં આવે છેઅને પછી મારવાડ ના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં કબજે કરાયુ. આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરોબર વચ્ચે આવેલ હોવાથી તેને "દ્વાર" નું પ્રતીક આપવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાય છે.
બન્ને તરફ પર્વતો અને પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલ આ પોળોનું જંગલ મુલાકાતીને યાદગાર રહી જાય તેવું છે. આ સ્થળે 10 સદીમાં બનેલ એક શિવ મંદિર પણ આવેલું છે.જ્યાંની કોતરણી અને કલા કારીગરી વર્ષો પહેલાની આર્કીટેક શૈલીની અનુભૂતિ કરાવે છે.
400 શુષ્ક મિશ્ર પાનખર જંગલ ચોરસ કિમી વિસ્તાર ચોમાસાને બાદ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સૌથી વિપુલ જ્યારે નદીઓ સંપૂર્ણ છેપરંતુ વર્ષના કોઇ પણ સમયે તે સમૃદ્ધ વન્યજીવન અનુભવ પૂરો પાડે છે. ત્યાં ઔષધીય છોડ કરતાં વધુ 450 પ્રજાતિઓપક્ષીઓની આસપાસ 275 સસ્તન પ્રાણીઓની 30 અને પેટે ઘસીને ચાલતી 32 છે. ત્યાં રીંછપેન્થર્સચિત્તોપાણી મરઘુંચકલીઅને ઉડતી ખીસકોલી (મોટે ભાગે સાંભળ્યું ભાગ્યે જ જોવા મળે છે)બધા વિવિધ છોડ અને વૃક્ષો એક છત્ર હેઠળ જીવે છે. શિયાળાની ઋતુ દરમ્યાનયાયાવર પક્ષીઓ તમામ રીતે જંગલ વિસ્તાર રોકે છે. વરસાદી ઋતુ દરમિયાન વેટલેન્ડ પક્ષીઓ છે.
પોળોના જંગલોમાં પ્રવેશતા જ રોડની બન્ને બાજુ એ ઝુકેલાં ઝાડ અને પશુ-પક્ષીઓનો કોલાહલ પ્રવાસીનું જાણે સ્વાગત કરતા હોય તેવું લાગે છે. વહેતી ખળ-ખળ નદી અને ઝરણાં મુલાકાતીનું મન મોહી લે છે.
અલ્પ પ્રચલીત આ જંગલમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પોળો ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્ય અને દેશ-વિદેશના મોટા પર્યટકો ઉમટી પડે છે