સમગ્ર દેશમાં આજે 5 વર્ષ સુધીના બાળકોને પોલીયો પીવડાવવામાં આવશે.ત્યારે આજે દેશભરમાં 5 વર્ષ સુધીના બાળકોને પોલીયો પીવડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળના નિવાસ સંકુલે ભુલકાઓને પોલિયો પીવડાવીને અભિયાનની શરૂઆત કરી છે.મહત્વનુ છે કે આ અભિયાન હેઠળ 84 લાખ બાળકોને રસી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સાથે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કનાણી તથા આરોગ્ય કમિશ્નર જ્યંતી રવિ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી એ સમગ્ર અભિયાનને બિરદાવ્યું હતું અને રાજ્ય સરકાર આરોગ્ય બાબતે ચિંતા કરે છે તેમ ઉમેર્યું હતું.
આપને જણાવી દઇએ કે 84 લાખ બાળકો ને આજે રસી અપાશે જે માટે 38 હજાર થી વધુ બુથો તથા 74 હજાર થી વધુ ટિમો તથા દોઢ લાખ થી વધુ સભ્યો જોડાશે.