ચંડીગઢ : જેલમાં બંધ ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની કહેવાતી પુત્રી હનીપ્રીત ઇંસાની વિરુદ્ધ ભીડે કથિત રીતે હિંસા ભડકાવવાનાં મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હરિયાણા પોલીસે મંગળવારે જણાવ્યું કે હનીપ્રીતની વિરુદ્ધ પંચકુલા સેક્ટર-5માં ફરિયાદ નોંધાઇ છે. બીજી તરફ સમાચાર છેકે તે નેપાળમાં ભાગી ગઇ છે. જેનાં પગલે નેપાળ રેડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ટીવી રિપોર્ટસ અનુસાર જાહેરાતમાં કહેવામાં આવ્યું કે જેણે પણ હનીપ્રીત (પ્રિયંતા તનેજા)ની માહિતી હોય તે અમારો સંપર્ક કરે.
બીજી તરફ હરિયાણા પોલીસે જણાવ્યું કે હનીપ્રિતનું નામ 25 ઓગષ્ટે પંચકુલામાં થયેલી હિંસા અંગે ફરિયાદમાં સમાવવામાં આવ્યું છે. પંચકુલા પોલીસ આયુક્ત એ.એક ચાવલાએ કહ્યું કે હનીપ્રિત આ મુદ્દે આરોપી છે. તેનું નામ ફરિયાદમાં પણ છે. જેમાં ડેરાનાં અન્ય પદાધિકારીઓ આદિત્ય ઇંસા અને સુરિંદર ધીમાન સહિતનાં લોકો વિરુદ્ધ કથિત રીતે હિંસા ભડકાવવાનો આરોપ લાગેલો છે .