રાજકોટમાં 17.75 કરોડની ઠગાઇની ઘટના પ્રકાશમાં આવી.છેતરપિંડીનો ભોગ બનનાર કોટક મહિદ્રા બેંકના અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધાતા આરોપીઓની ગણતરીની કલાકો માંજ ધરપકડ કરવામાં આવી.આ મામલે ભાલારા પ્રા. લી. કંપનીના ડાયરેકટરો બિપીનભાઈ રાણપરીયા અને જીતેન્દ્રભાઈ ભાલારા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ આરોપીઓએ બેંક પાસેથી રૂપિયા 19.25 કરોડની લોન લીધી હતી. આ લોન પેટે માત્ર રૂપિયા દોઢ કરોડ જમા કરાવ્યા બાદ બાકીની રકમ રૂપિયા 17.75 કરોડ માટે અનેકવાર યાદી આપવા છતાં ન ભરી બેંક સાથે ઠગાઈ કરી હોવાનું જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયગાળાથી બેંકો સાથે ઠગાઇની ઘટના બની રહી છે આ ઘટનાની વણજાર હજુ અટકી નથી ત્યારે ગુજરાતના રાજકોટમાં બેંક સાથે છેરપિંડીની ઘટના સામે આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો.જો કે ગણતરીના જ કલાકોમાં ચોરને પકડી લેવાતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.