પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઝાદી માટે આંદોલન તેજ થઇ ગયું છે.પાકિસ્તાનથી આઝાદી મેળવવા માટે જનદાલીમાં જમ્મૂ કાશ્મીર રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને રેલીમાં આઝાદીના નારા લગાવવામાં આવ્યા છે. સ્થાનિક નેતા લીકાંત ખાને કહ્યું છે. પાકિસ્તાન આ શાંતિપૂર્ણ જગ્યાને નષ્ટ કરવા માટે આતંકવાદીઓને મોકલે છે. છેલ્લા ઘણા સમયથી સતત POKમાં આઝાદીની માગ ઉઠી રહી છે.આ રેલીમાં પાકિસ્તાન વિરૂદ્ધ પણ નારાઓ લગાવવામાં આવ્યા છે.
આ કોઇ પહેલીવાર નથી જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઝાદીના નારા લગાવામાં આવ્યા છે. અહિયા લોકો પાકિસ્તાનના અત્યાચારોથી હેરાન છે અને તેનાથી આઝાદી માંગે છે. જ્યારે પાકિસ્તાનના લોકોની અવાજ દબાવા માટે સેનાનો પ્રયોગ કરવામાં આવતો હોય છે.