મુંબઇ: ભારતમાં સાર્વજનિક ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકે આશરે 1.77 અરબ ડોલરનો ફ્રોડ પકડ્યો છે. પંજાબ નેશનલ બેંકે મુંબઇની એક બ્રાંચથી કાવતરા ગૉદ્વારા અનધિકૃત ટ્રાન્ઝેક્શનને પકડ્યું છે જે કેટલાક પસંદગીના અકાઉન્ટ હોલ્ડરને ફાયદો પહોંચાડી રહ્યા હતા. બેંકે બોમ્બે સ્ટોક એક્સચેન્જને એ માટેની જાણકારી આપી છે. આ ફ્રોડની અસર બીજી બેંકો પર પણ જોવા મળી શકે છે.
જો કે PNBએ આ ફ્રોડમાં સામેલ કોઇ વ્યક્તિનું નામ લીધું નથી પરંતુ કહ્યું છે કે એ લોકોએ આ બાબતે તપાસ એજન્સીઓને જાણકારી આપી દીધી છે. બેંકે જણાવ્યું કે એ બાદમાં આ વાતનું આકલન કરશે કે શું આ ટ્રાન્ઝેક્શનથી એનું કોઇ દેવદાર તો નથી બનતા ને. આ જાણકારી બાદ પીએનબીનો શેર 4 ટકા વધારે તૂટી ગયો. જો કે બુધવારે શરૂઆતી કારોબારમાં પીએનબીનો શેર 5.7 ટકા સુધી ઘટી ગયો હતો.
નોંધનીય છે કે પીએનબી પહેલાથી જ આ પ્રકારે છેતરપિંડી કરનારની તપાસ કરી રહ્યું છે. ગત સપ્તાહે સીબીઆઇએ કહ્યું હતું કે એને પીએનબીની ફરિયાદ પર અરબપતિ જૂવર નીરવ મોદી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. હકીકત પીએનબીએ જૂલર ને કેટલાક અન્ય પર 4.4 કરોડ ડોલરનો છેતરપિંડીનો રિપોર્ટ દાખલ કર્યો હતો. એ જાણવા નથી મળ્યું કે હાલમાં ખુલાસો આ જ બાબત પર જોડાયેલો છે કે એનાથી અલગ છે.