પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખિલ ભારતીય પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષક સંમેલનમાં સામેલ થવા માટે ગ્વાલિયરના ટેકનપુર સ્થિત BSF એકેડમી પહોંચ્યા હતા. આ સંમેલનને સંબોધિત કરતાં દરમિયાન PM મોદીને 'ચા' ની ઇચ્છા થઇ અને એમને 'ચા' ની માંગ કરી. પીએમ મોદી દ્વારા 'ચા' ની માંગ કરવા પર કેન્દ્રીય મંત્રી કિરન રિજ્જૂએ એમને ગ્રીન ટી પીવાની સલાહ આપી પરંતુ પીએમએ એ નકારી દીધી. કિરન રિજ્જૂને તરત જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે એ દેશી 'ચા' થી વધારે ખુશ છે જેમાં દૂધ અને ખાંડ હોય છે.
બીજી બાજુ આ સંમેલનમાં પીએમ મોદીએ દેશની સુરક્ષાના મુદ્દાને લઇને વાતચીત કરી. પીએમ મોદીએ ટ્વિટર હેન્ડલ પર લખેલું 'ટેકનપુરમાં અખિલ ભારતીય. પોલિસ મહાનિદેશક અમે મહાનિરીક્ષક સંમેલનને સંબોધિત કર્યું. છેલ્લા 3 વર્ષમાં આ સંમેલનના પદાર્થ અને પ્રકૃતિમાં ઝડપથી ફેરફાર આવ્યો છે.'આ સાથે જ પીએમ મોદીએ સાઇબર સિક્યોરિટીને લઇને વાતચીત પણ કરી.
એમને કહ્યું કે સાઇબર સિક્યોરિટીના મુદ્દા તરતથી નિપટાવી દેવા જોઇએ અને આ મુદ્દાને ઉચ્ચ પ્રાથમિક્તા આપવી જોઇએ. એટલું જ નહીં આ સમારોહમાં પીએમ મોદીએ ઘણા આઇબી અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સમ્માનિત પણ કર્યા.