મસ્કતઃ પ્રધાનમંત્રી મોદીની ઓમાનની યાત્રાનો બીજો દિવસ છે. પીએમ મોદીએ પોતાના કાર્યક્રમની શરૂઆત બિઝનેસ મીટિંગ સાથે કરી હતી. પીએમ મોદી મસ્કતમાં શિવ મંદિરના દર્શન કરવા પહોચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી. મંદિર ઓમાનના સુલ્તાનના મહેલની પાસે આવેલું છે.
જે સમયે પીએમ મોદી મંદિર પહોચ્યા હતા. તે સમયે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ત્યાં અપસ્થિત હતા. મંદિરની બહાર તેઓ મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા.
મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ સુલ્તાન કબૂસ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.
આ મસ્જિદ ઓમાનની સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદને 3 લાખ ટન ભારતીય બાલૂ પત્થરથી બનાવવામાં આવી છે જેના માટે 200 કારીગરોને ભારતથી બોલાવવામાં આવ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે ઓમાનના સુલ્તાન કબૂસ બિન સાદ અલ સાદની સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
પીએમ મોદીએ સોમવારે ઓમાનના સુલ્તાન અલાવા ડિપ્ટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ કાઉન્સિલ સૈયદ ફયદ બિન મહમૂદ અલ સૈયદની સાથે મુલાકાત કરી હતી.
આ પહેલા રવિવારે પીએમ મોદીએ ઓમાનના સુલ્તાન સાથે કેટલાક વિષયો પર ચર્ચા કરી અને આ દરમિયાન બન્ને દેશો વચ્ચે રક્ષા સ્વાસ્થ્ય અને પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ સહિતના આઠ કરારો પર હસ્તાક્ષર કરાયા હતા. આ દરમિયાન વેપાર અને રોકાણ ઉર્જા રક્ષા સુરક્ષા ખોરાક તથા સ્થાનિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
મસ્કટમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકારના 4 વર્ષ થયા પરંતુ કોઇ ન કહીં શકે કે મોદી કેટલું લઇ ગયો. ભારતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. સરકારની નીતિઓ લોકો સુધી પહોંચી રહી છે.
પીએમ મોદીએ જણાવ્યું કે આજે દેશના રોડ બનવા રેલના પાટા પાથરવા ગેસ કનેક્શન આપવાની ઝડપ એરપોર્ટ બનાવવાની ગતિ લાઇટ મળવાનો સમય પહેલા કરતા વધ્યો છે. પહેલા એવિએશન પોલિસી નહોતી જેને મોદી સરકારે બનાવી. આજે દેશમાં સાડા ચારસો હવાઇ જહાજ કાર્યરત છે. 70 વર્ષની યાત્રામાં 450 હવાઇ જહાજ અને એક વર્ષમાં 900 હવાઇ જહાજોનો ઓર્ડર આપ્યો છે.
જણાવી દઇએ કે ચાર દેશોની યાત્રા પર પીએમ મોદીએ જોર્ડન પેલેસ્ટાઇન યૂએઇ અને હવે ઓમાનનો પ્રવાસ ખેડ્યો હતો. ત્યારબાદ સોમવારે પીએમ મોદી સ્વદેશ રવાના થઇ ગયા છે.