શિલાંગઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ અને મેઘાલયની યાત્રા પર છે. પીએમ મોદી આઇજોલ પહોંચી ગયા છે. આ બન્ને જગ્યાએ પીએમ જનસભાઓને સંબોધન કરવાના છે. સાથે જ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પીએમ સવારે 9 વાગે એઝલ સ્થિત લેંગપુઇ હવાઇ અડ્ડા પહોચી શકે છે.
તેમણે કહ્યું કે પીએમ એઝલમાં આસામ રાઇફલ્સ મેદાનમાં એક જનસભાને સંબોધિત કરશે. 60 મેગાવોટ પનવીજળી પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. પીએમ એક વાગે શિલાંગ હેલિપૈડ પર ઉતરી શકે છે. શિલાંગમાં પોલો મેદાનમાં સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેંટર કોન્પલેક્સમાં એક રેલીને સંબોધિત કરશે.
પ્રવાસ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કર્યું 'મોહક અને ઉમંગથી તૃપ્ત પૂર્વોત્તર બોલાવી રહ્યું છે. હું મિઝોરમ અને મેઘાલયની યાત્રાની રાહ જોઇ રહ્યો છું જ્યાં કેટલીક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ પરિયોજનાઓ પૂર્વોત્તરની વિકાસ યાત્રાને ગતિ આપશે.'
Giving wings to our Yuva Shakti DoNER has set up a Rs. 100 crore Northeast Venture Capital Fund. Tomorrow I will be distributing cheques to entrepreneurs from this fund. A spirit of enterprise among the Northeast’s youth augurs well for the empowerment of the region.