નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ફરી એકવાર આર્મીના જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરશે. પીએમ મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ પીએમ મોદી કેદારનાથના કપાટ બંધ થવાના સમયે ત્યાં જશે અને બાબાના દર્શન કરશે. મહત્વનું છે કે પીએમ મોદીએ ચાલુ વર્ષે જ બાબા કેદારનાથના કપાટ ખુલવા પર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બાબા કેદારનાથનો રુદ્રાભિષેક કર્યો હતો.
પ્રધાનમંત્રી બન્યા બાદ નરેદ્ર મોદી દર વર્ષે જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી છે. સૂત્રોનું માનીએ તો આ વર્ષે પણ પીએમ મોદી ચીન સાથે જોડાયેલી સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. જોકે હજુ આ કાર્યક્રમને ટોપ સિક્રેટ રાખવામાં આવ્યો છે. કેદારનાથમાં પીએમ મોદી દર્શનની સાથે સાથે ધાર્મિક સ્થળના પુનનિર્માણ સાથે જોડાયેલી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં મંદાકિની અને સરસ્વતી નદી પર બનેલા ઘાટ અને મંદિરની સુરક્ષા માટે બનાવાયેલી સુરક્ષા દિવાલ અને મંદિર સુધી જવાના માર્ગનું ઉદ્ઘાટન કરશે. નોંધનીય છે કે આ પૂર્વે પીએમ મોદીએ 2014માં સિયાચીનમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.