મુંબઇ : દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજે પત્રકાર ગૌરી લંકેશની હત્યાને એક મહિનો વિતવા છતા પણ વડાપ્રધાનની ચુપકીદીની નિંદા કરી હતી.તેણે હત્યારાને સજા નહી થાય તો પોતાનાં પાંચેય નેશનલ એવોર્ડ પરત કરવાની ધમકી આપી હતી. તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ગૌરી લંકેશનાં મરવાની ઉજવણી કરી રહ્યા છે અને તેમાંથી કેટલાક લોકોને તો વડાપ્રધાન મોદી પોતે પણ ફોલો કરે છે.
અભિનેતા પ્રકાશ રાજે ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં 11માં રાજ્ય સંમેલનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા કરતા પણ સારા અભિનેતા છે મારે મારા તમામ પુરસ્કાર તેમને આપી દેવા જોઇએ. હું આવા મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીની ચુપકીદીથી ચિંતિત છું. શું તેઓ પોતાનાં કેટલાક ફોલોઅર્સ દ્વારા અનુગ્રહિત ક્રૂરતાનું સમર્થન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રકાશે ધમકીનાં અંદાજમાં કહ્યં કે વડાપ્રધાન આ મુદ્દે આગળ પણ ધ્યાન નહી આપે તો મારે મારા પાંચેય રાષ્ટ્રીય પુરસ્કારો પરત કરવામાં કોઇ અફસોસ નહી થાય. અભિનેતાએ કહ્યું કે જેમણે ગૌરીની હત્યા કરી છે તેની હજી સુધી કોઇ ભાળ નથી મળી પરંતુ દુખદ પાસુ એ છે કે સોશિલ મીડિયા પર એક મોટો વર્ગ તેની ઉજવણી કરી રહી છે. આપણે બધા જ જાણીએ છીએ કે તે લોકો અને તેમની વિચારધારા કઇ પ્રકારની છે.