નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘના 90 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે આજકોલ બેંકો માટે અફવા ફેલાવવામાં આવી રહી છે કે બેંકોમાં લોકોના પૈસા સુરક્ષિત નહીં રહે.
એમને કહ્યું કે એફઆરડીઆઇ માટે અફવા ફેલાવવામાં આવી રહી છે. પીએમએ કહ્યું કે સરકાર જમાકર્તાઓના હિતો અને અધિકારોની રક્ષા કરવા માટે કામ કરી રહી છે. પરંતુ અફવા પૂરી રીતે વિપરીત ફેલાવવામાં આવી રહી છે. એવી અફવાઓને દૂર કરવા માટે ફિક્કી જેવા સંસ્થાનું યોગદાન મહત્વપૂર્ણ છે.
પીએમએ કહ્યું કે અમે એક એવી સિસ્ટમ બનાવવા માટે કામ કરી રહ્યા છે જે માત્ર પારદર્શી નહીં પરંતુ સંવેદનશીલ પણ છે. એમને કહ્યું કે અમારી સરકારે લોકોની જરૂરીયાત સમજી જનધન યોજના દ્વારા લોકોએ બેંક ખાતા ખોલાવડાવ્યા.
પીએમએ કહ્યું કે આજકાલ જે NPAએ હલ્લો મચાવ રહ્યો છે આ પહેલાની સરકારમાં બેઠેલા અર્થશાસ્ત્રીઓની આ સરકારને આપવા આવેી મોટી લાયબિલિટી છે. પીએમએ મનમોહન સિંહ પર પ્રહાર કરતાં કહ્યું કે આ NPA યૂપીએ સરકારનો સૌથી મોટો કૌંભાડ હતો.