આગામી 13 અને 14 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિંજો આબે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. વીવીઆપીઓની આ મુલાકાતને પગલે સમગ્ર શહેરને અભેદ્ય કિલ્લેબંધીના સ્વરૂપમાં ફેરવી દેવામાં આવ્યું છે.
13 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે ત્યાંથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાવાનો છે. જે માટે સમગ્ર સ્થળ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
અમદાવાદ ફેરવાયું અભેદ્ય કિલ્લામાં
નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન લેશે મુલાકાત
13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદની લેશે મુલાકાત
સમગ્ર શહેર ફેરવાયુ પોલીસ છાવણીમાં
13 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી કરશે મેગા રોડ શો
એરપોર્ટ થી ગાંધી આશ્રમ સુધી યોજાશે રોડ શો
PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
બુધવાર - 13 સપ્ટેમ્બરે શું કરશે PM
બપોરે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
બપોરે 3.45 કલાકે હોટલ હયાત પહોચશે
5-45 કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
6-00 કલાકે સીદી સૈયદની જાળીની લેશે મુલાકાત
6-25 કલાકે અગાસિયા રેસ્ટોરાં જવા રવાના થશે
6-45 to 7-45 કલાકે અગાસિયા રેસ્ટોરાંમાં જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અને તેમની પત્ની સાથે ડિનર કરશે
8થી9 કલાકે અગાસિયામાં બંધબારણે જાપાનના પ્રાઇમ મિનિસ્ટર સાથે બેઠક કરશે
9-00 કલાકે હયાતમાં રાત્રિ રોકાણ કરશે
14 સપ્ટેમ્બરનો શું છે કાર્યક્રમ?
9 .00 કલાકે સાબરમતી એથટેલિક ગ્રાઉન્ડની મુલાકાતે
9 થી 11 કલાકે બુલેટ ટ્રેનનું ખાતમૂહૂર્ત
11-30 કલાકે દાંડી કુટીરની મુલાકાત કરશે
11-50 કલાકે મહાત્મા મંદિર જશે
12 થી 12.45 કલાકે ડેલિગેશન ટોકમાં ભાગ લેશે
1 થી 1.30- એક્સચેન્જ ઓફ એગ્રિમેન્ટ અને પ્રેસ સાથે ચર્ચા
1.30 કલાકે 2.30 - લંચ
2.30 થી 2.40 કલાકે જાપાન -ભારત ઉદ્યોગપતિઓ સાથે ફોટોસેશન
3.45 થી 4 કલાકે મહાત્મા મંદિર ખાતે એક્ઝિબિશન બૂથની મુલાકાત
4 થી 5-40 કલાકે ઇન્ડિયા-જાપાન બિઝનેસ પ્લાનિંગ પર ચર્ચા
6-30 કલાકે હોટલ હયાત પરત ફરશે
6.45 થી 8.15 સાયન્સ સિટી મુખ્યપ્રધાન સહિત મંત્રી મંડળ સાથે ભોજન