નવી દિલ્હી: આજે આખો દેશ દિવાળીનો તહેવાર ઊજવી રહ્યો છે. આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી. એમને લખ્યું 'દરેક દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા. બીજા પ્રત્યે સંવેદના અને પર્યાવરણ પ્રત્યે સજાગતાની સાથે આપણે દિવાળીનો તહેવાર ઊજવીશું.' તો પીએમ મોદીએ પણ આ પાવન પર્વે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી પીએમએ ટ્વિટ કરીને બધાને શુભેચ્છા પાઠવી છે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેદ્ર મોદી દર વર્ષે જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી છે. સૂત્રોનું માનીએ તો આ વર્ષે પણ પીએમ મોદી ચીન સાથે જોડાયેલી સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.