અમદાવાદઃ PM મોદી ધરોઇથી અમદાવાદ રિવરફ્રન્ટ સી પ્લેન મારફતે આવી પહોંચ્યા હતા. જેઓ હવે એરપોર્ટથી સીધા થશે દિલ્લી જવા રવાના થશે. બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિન છે. સાંજે 5 વાગ્યે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થશે.
રિવરફ્રંટ ખાતે PM મોદીએ લોકોનું અભિવાદન જીલ્યું હતું. PM મોદી રિવરફ્રંટથી અમદાવાદ એરપોર્ટ પર જવા રવાના થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્લી માટે રવાના થશે.
પીએમ મોદી SEA પ્લેનમાં સાબરમતી રિવરફ્રન્થી ધરોઈ ખાતે ગયા હતા. અને પીએમ મોદી પરત અમદાવાદમાં પણ આ જ પ્લેનમાં આવ્યા. આ પ્લેન એકતા ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યુ છે ત્યારે આ ગ્રુપના MD હિમાંશુ પટેલે જણાવ્યુ છે કે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ પ્લેનનુ ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલ થલ અને આકાશમાં છવાઈ ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગરથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આવ્યા હતા. જ્યાં વિકાસની ઉડાન કરી હતી. સી પ્લેનથી પર્યટનને બહોળો પ્રતિસાદ મળે તે માટે ઉડાન ભરી હતી. જલ થલ અને આકાશનો અદભૂત નજારો સર્જાયો હતો. રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે પીએમ મોદીએ અંબાજીમાં અંબેમાના દર્શન કર્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ અંબાજીમાં આરતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી નદીથી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં ઉડાન કરી હતી. જેમાં તેઓ ગણતરીમાં સમયમાં જ ધરોઈ ડેમ પર લેન્ડ થયા હતા. જ્યાંથી અંબાજી મંદિર તરફ જવાના રસ્તે તેમનો ભવ્ય રોડશો યોજાયો હતો. ખુલ્લી જીપમાં ઉભા રહીને તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો દ્વારા પીએમ મોદી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં પહોંચ્યા હતા.