મહેસાણાઃ ગુજરાતના પનોતાપુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ પોતાના માદરેવતન વડનગરની પણ મુલાકાત લેવાના છે. જેને લઈને વડનગર વાસીઓમાં આનંદ ઉભરાઈ રહયો છે. વડનગરમાં જાણે દિવાળી પહેલાં જ દિવાળી જેવો માહોલ જામ્યો છે.
પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને વડનગરના નાના મકાનોથી માંડીને મોટી ઈમારતો રોશનીથી શણગારવામાં આવી છે. સુપ્રસિદ્ધ વડનગર દરવાજા પર થીમ આધારિત રોશની કરાઈ રહી છે. જે વડનગર વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.