સુરતઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેના ભાગરૂપે પીએમ મોદી સુરતની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદી મોરારીબાપુની કથામાં જવાના હતા. ત્યારે હવે પીએમ મોદીના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે. પીએમ મોદી કથામાં ન જઈને સીધા ધર્મપુર જવા પહોંચ્યા છે. ધરમપુરમાં પીએમ મોદી માનલપાડાનાં સભા સંબોધશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પાંચ દિવસ રહ્યાં છે. પીએમ મોદી ગુજરાતમાં ધુંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. પીએમ મોદી ભરૂચ પહોચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કઇ હોસ્પિટલમાં ઇન્દિરા અને રાજીવનો જન્મ થયો હતો. આજે ઉતર પ્રદેશમાં કોંગ્રેસ દેખાતી નથી.
સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો હતો. અન્યાય કરીને નહેરુને પ્રધાનમંત્રી બનાવ્યા હતાં. સરદારને હરાવવા માટે કારસો ઘડવામાં આવ્યો હતો.જે ઘરમાં જ લોકશાહી ન હોય તો દેશમાં ક્યાંથી લોકશાહી આવે.
સુરેન્દ્રનગર જિલ્લો સુકો ભંઠ હતો અને આજે લીલો છમ બન્યો છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે હાઈટેક હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદી ઉદ્યાટન કર્યુ હતું. જેમાં 22 હજારથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હોસ્પિટલ દ્વારા આર્યુવેદ હોમિયોપેથી અને એલોપેથીની સારવાર રાહત દરે કરવામાં આવશે.
અમદાવાદમાં SGVP સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઈટેક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હરિભક્તોને સંબોધતા મોદીએ જણાવ્યું કે ચૂંટણીના દિવસોમાં પણ આવો દિવસ મળેએ સૌભાગ્યની વાત છે. આ પ્રસંગે મને જોગી મહારાજ સાથેની યાદો તાજી થઈ છે.