અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SC STના મોર્ચા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. મોદી કાર્યકર્તાઓ સાથે ઓડિયો સંવાદ કરશે. ગુજરાતમાં થયેલા ઓખી વાવાઝોડા પર મોદી નુકસાન અંગે સંવાદ કરશે. 10 હજાર કાર્યકરો સાથે સંવાદ કરશે. સંવાદના કાર્યક્રમની માહિતી પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આપી છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સાંજે પાંચ વાગ્યેથી પ્રચાર પડઘમ શાંત પડી જશે. સંવાદ કરી મોદી મતદારોને રિઝવવનો પ્રયાસ કરશે.
ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ સ્થળો પર સભા સંબોધી હતી. ધંધુકા દાહોદ અને નેત્રંગમાં જંગી સભાઓ સંબોધી હતી. પીએમ મોદીએ નેત્રંગમાં જનસભાને કેમ છો કહીને સંબોધન કરતા કહ્યું કે ”હું તમામ લોકોનો આભાર માનું છું.
પીએમ મોદીએ કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા અને પોતાની સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યાં હતાં.