પ્રધાનમંત્રી મોદીના વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ વારાણસી વાસીઓને અનેક ભેટો અને વચનો વાયદાઓ આપ્યા છે. 2019ને ધ્યાનમાં રાખતા 2022ના સપના લોકોને બતાવ્યા છે.
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીનો બે દિવસીય પ્રવાસ ખેડયો. પ્રધાનમંત્રીએ આ બે દિવસ દરમિયાન વારાણસી વાસીઓને અનેક ભેટ પણ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રવાસની બીજા દિવસની શરૂઆત શહંશાહપુરથી કરી હતી. અહીં પ્રધાનમંત્રીએ શૌચાલયનો માયો નાખીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ અહીં ખુદ્દ શૌચાલયના સેફ્ટી ટેન્કની ઈંટ રાખીને તેનો સીલાન્યાસ કર્યો હતો. સાથે જ શૌચાલયને ઈજ્જતઘર નામ પણ આપ્યું હતું. જોકે ત્યાર બાદ પ્રધામંત્રી મોદીએ પશુધન આરોગ્ય મેળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીને બધાઈ આપતા અન્ય જગ્યાઓ પર પણ પશુ મેળા લગાવવાની અપીલ કરી હતી. જોકે ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી ગૌશાળાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાયોને ચારો ખવડાવી તેમની સેવા કરી હતી.
`શૌચાલય મારા માટે પૂજા'
`2022 સુધીમાં તમામને ઘર'
મહત્વનું છે કે બીજા દિવસે પણ પ્રધાનમંત્રી મોદીએ વારાણસી વાસીઓને ભેટની સોગાથ આપવાની સાથે-સાથે વિપક્ષી પાર્ટીઓને પણ આડેહાથ લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે અમે માત્ર વોટ બેંક માટે જ કામ કરી રહ્યા નથી. જનતાની સેવા માટે કામ કરી રહ્યા છીએ. આ સાથે જ સ્વચ્છતા અભિયાનને પાયા પર રાખતા કહ્યું હતું કે હવે કચરામાંથી પણ વિજળીનું ઉત્પાદન કરાશે.
`મત માટે સેવા નહીં'
`કચરામાંથી વીજ ઉત્પન'
પ્રધાનમંત્રી મોદીએ બે દિવસીય પ્રવાસ દરમિયાન વારાણસી વાસીઓને અનેક મોટી ભેટો આપી છે. ત્યારે 2019માં માટે બતાવેલા સ્વપ્ના ભાજપ સરકાર માટે કેટલા સફળ કારક નીવળે છે. તે જોવું રહ્યું.