પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડનગરની મુલાકાતે છે. ત્યારે સમગ્ર ગામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે અને અદભૂત રોશની સાથે સજાવવામાં આવ્યુ છે. વડનગરની વિવિધ કલાકૃતિઓ અને મંદિરોમાં રોશની ઉતારવામાં આવી છે. સાથે જ કેટલાક પ્રવાસન સ્થળોએ પણ વિશેષ લાઈટિંગ ગોઠવવામાં આવી છે.
તો વડનગરના ગેટ પાસે પણ પ્રધાનમંત્રીના વિવિધ અભિયાનોની ઝાંખી પણ રજૂ કરવામાં આવી છે. જેમાં સ્વચ્છ ભારત મિશન સહિત બેટી પઢાવ બેટી બચાવ જેવા અભિયાનોને પણ લેસર લાઈટિંગ થકી રજૂ કરવામાં આવી છે.