પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી મોદી સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યાર બાદ એરપોર્થી પ્રધાનમંત્રી મોદી સીધા રાજભવન પહોંચશે. જ્યાં તેઓ 5.45 વાગ્યા સુધી રોકાણ કરશે.
જે બાદ ત્યાંથી પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર અક્ષરધામ ખાતે જશે. જ્યાં તેઓ 2 કલાક જેટલો સમય વિતાવશે. અહીં પ્રધાનમંત્રી મોદી મંદિરમાં પૂજા કરશે અને લાઈટ સાઉન્ડ શો પણ નિહાળશે. લાઈટ સાઉન્ડ શો નિહાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે અને ત્યાર બાદ સાંજના 8 વાગ્યે પરત દિલ્લી જવા માટે રવાના થશે.
પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે
આવતીકાલે અમદાવાદ આવશે PM મોદી
સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી
5.30થી 5.45 વાગ્યા સુધી રાજભવન પહોંચશે
રાજભવનથી અક્ષરધામ મંદિર જશે
અક્ષરધામ મંદિરમાં 2 કલાક જેટલો સમય વિતાવશે PM મોદી
મંદિરમાં પૂજા કરશે અને લાઈટ સાઉન્ડ શો નિહાળશે
મંદિરમાં લાઈટ સાઉન્ડ શો નિહાળ્યા બાદ PM સંબોધન કરશે