નવી દિલ્હી: પંડિત દીન દયાળની જન્મ જયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુભાગ્ય યોજનાને લોન્ચ કરશે. આ યોજનાનો હેતુ દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનો છે. મોદી સરકાર માટે આ યોજના ખૂબ જ મહત્વની છે. આજે સંઘ પરિવારના પ્રમુખ નેતા દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી પણ છે. કેન્દ્રીય ઊર્જા સચિવ એ.કે. ભલ્લાના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ 2015માં 1000 દિવસોમાં 18000 ગામમાં વીજળી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો હતો. ગત 15 ઓગસ્ટ સુધી 10 000 ગામોને વીજળીનું કનેક્શન મળી ચૂક્યું છે.
2017-2018ના પહેલા ત્રણ મહિનામાં અર્થવ્યવસ્થાના દર છેલ્લા 3 વર્ષોમાં સૌથી ઓછા 5.7 ટકા જોવા મળ્યો. મોદી રોજગાર સૃજન અને માંગને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિદ્યુત આવાસ અને સમાજ કલ્યાણ કાર્યક્રમો માટે આર્થિક પેકેજની પણ જાહેરાત કરી શકે છે જે 40 હજારથી લઇઉને 50 હજાર કરોડની વચ્ચે હોઇ શકે છે. 2019 સુધી દરેક ઘરમાં વીજળી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર 24 કલાક અને સાત દિવસ કામ કરી રહી છે.
કેન્દ્ર સરકારે રમતને લઇને મોટી યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે ખેલો ઇન્ડિયાને મંજૂરી આપી હતી. ખેલો ઇન્ડિયાની શરૂઆત 2016માં થઇ હતી એ દરમિયાન એનું બજેટ 500 કરોડ હતું જેને વધારીને 1756 કરોડ કરવામાં આવ્યું છે અને આ બજેટ 2017-18 થી 18-19 સુધીનું છે.