નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા આયુર્વેદ દિવસના અવસરે દિલ્હીના સરિતા વિહારમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન સમયે તેઓ એમ્સની જેમ દેશનો પ્રથમ AIIA રાષ્ટ્રના નામ પર સમર્પિત કર્યું
દેશના આ પ્રથમ AIIAની સ્થાપના આયુષ મંત્રાલય હેઠળ ટોચની સંસ્થાના રૂપમાં કરવામાં આવી છે. આયુર્વેદ અને આધુનિક સારવાર પદ્ધતિ અને ટેક્નોલોજી એક જ સંસ્થામાં જોવા મળશે.
#Delhi: PM Narendra Modi to dedicate 1st ever All India Institute of Ayurveda to the nation on occasion of 2nd Ayurveda Day. pic.twitter.com/jvTgMeqMxf
નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં AIIAની સ્થાપના 10 એકડમાં કરવામાં આવી છે. અને તેને 157 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે. આ એનએબીએચથી માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ છે અને એમાં એક એકેડેમિક બ્લોક પણ છે.
દેશના આ પહેલા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના આયુષ મંત્રાલય હેઠળ કરવામાં આવી છે જે આયુર્વેદ અને સારવાર માટે અપનાવામાં આવી રહેલા મોડર્ન ટેક્નિકની વચ્ચે તાલમેળ બેસાડવાનું કામ કરે છે.