વલસાડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી મોદી આજે 4 જનસભાને સંબોધન કરવાના છે ત્યારે તેઓ ધરમપુરમાં વિકાસ રેલીને સંબોધન કરી રહ્યા છે. કેમ છો કહી પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી. જૂના દિવસોની PM મોદીએ યાદ અપાવી. પીએમ મોદીના સભાસ્થળે મોદી મોદીના નારા લાગ્યા.
મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતની જનતા 9 તારીખે ગુજરાતનુ ભાવી નક્કી કરશે ગુજરાતને બદનામ કરનારાને 9 તારીખે સજા કરવાની છે. ગુજરાતે કોંગ્રેસને પાઠ ભણાવવાની જરૂર છે.
પીએમ મોદીનુ ધરમપુરમાં જનસભાને સંબોધન
જીવનના મહત્વપૂર્ણ દિવસો આદિવાસી પટ્ટામાં વિતાવ્યા છેઃ મોદી
જ્યા જ્યા મારી નજર પડે ત્યા લોકો જ દેખાય રહ્યા છેઃ મોદી
તમે 9 તારીખે ગુજરાતનુ ભાવી નક્કી કરશોઃ મોદી
ગુજરાતને બદનામ કરનારાને 9 તારીખે સજા કરવાની છેઃ મોદી
અમે બીજા રાજ્યોને બદનામ નહોતા કરતાઃ મોદી
સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના છે એટલે અમે ગુનો કર્યોઃ મોદી
19 મહીના સુધી મોરારજીભાઈ દેસાઈને જેલમાં પુરી દીધાઃ મોદી
ગુજરાતે કોંગ્રેસને પાઠ ભણાવવાની જરૂર છેઃ મોદી
ગુજરાતને બેઈજ્જત કરવાનુ બંધ કરોઃ મોદી
અમારા માટે 125 કરોડ દેશવાસી ભારતના ભાગ્ય વિધાતા છેઃ મોદી
વિકાસના મુદ્દા પર લોકો પાસે મત માગીએ છેઃ મોદી
ગુજરાતમાં ચૂંટણી ભાષણો એક જ મુદ્દા પર થતા હતાઃ મોદી